રાજસ્થાનનાં મુખ્યપ્રધાન અશોક ગહેલોત પણ થયા કોરોના પોઝિટિવ

જયપુર,
દેશભરમાં વધી રહેલાં કોરોનાનાં કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહેલોત પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે.
મુખ્ય પ્રધાન અશોક ગહેલોતે પોતે ટ્વિટ કરીને પોતે સંક્રમિત હોવાની માહિતી જાહેર કરી છે. તેમને પોતા સ્વાસ્થ્ય બાબતેની માહિતી આપવાની સાથે જ પોતાનાં સંપર્કમાં આવેલા તમામ લોકોને સ્વમ આઇસોલેટ થવાની વિનતિ પણ કરી છે.
જો કે આ પહેલા દિલ્લી નાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પણ કોરોનાથી સંક્રમિત થયા હતા